ન શાખા

શાખા વિશે

રાજ્યના નાગરિક ઉડ્ડયન વિષય સંબંધી નીતિગત બાબતો, રાજ્યના મહાનુભવોના ઉડ્ડયન સંબંધી બાબતો, રાજ્યના એરપોર્ટ, એરસ્ટ્રીપ, હેલીપોર્ટ તથા હેલીપેડ વગેરેના માળખાગત વિકાસ ,ઉડ્ડયન તાલીમ સંસ્થાઓ, ઉડ્ડયન સંબંધી મનોરંજન પ્રવૃત્તિઓ વગેરે સંબંધી તમામ કામગીરી.

વિષય અને કાર્યો

  • રાજ્યની નાગરિક ઉડ્ડયન નીતિ.
  • કમિશ્નરશ્રી, નાગરિક ઉડ્ડયન અને ગુજસેલ કચેરી સંબંધિત તમામ નિતિગત બાબતો.
  • રાજ્યમાં એરપોર્ટ, એરસ્ટ્રીપ, હેલીપેડ, હેલીપોર્ટ વગેરેના વિકાસ સંબંધિત બાબતો.
  • રાજ્ય સરકારની માલિકીની પ્લેન, હેલીકોપ્ટર સાથે અન્ય તમામ નાગરિક ઉડ્ડયન સંબંધિત સાધનોના ઓપરેશન અને મેઇન્ટેનન્સ તથા તે સંબંધિત ખર્ચના ચૂકવણા સંબંધી તમામ કામગીરી.
  • નાગરિક ઉડ્ડયન વિષય સંબંધિત બજેટ તથા ઓડીટ સંબંધિત તમામ કામગીરી.
  • નાગરિક ઉડ્ડયન વિષય સંબંધિત માન. મુખ્યમંત્રીશ્રી / માન. મંત્રીશ્રી / માન. સંસદસભ્યશ્રીઓ / માન. ધારાસભ્યશ્રીઓ વગેરે સંબંધિત સંદર્ભ પત્રો સંબંધી કામગીરી.
  • નાગરિક ઉડ્ડયન વિષય સંબંધિત ભારત સરકારના સંદર્ભ પત્રો સંબંધી કામગીરી.
  • કમિશ્નરશ્રી, નાગરિક ઉડ્ડયન અને ગુજસેલ કચેરી મહેકમ સંબંધી પ્રાથમિક/ખાતાકીય તપાસની બાબતો.
  • નાગરિક ઉડ્ડયન વિષય સંબંધિત ગુજરાત રાજ્ય વિધાનસભા સંબંધી તારાંકીત પ્રશ્નો, અતારાંકિત પ્રશ્નો, કાપ દરખાસ્તો તથા સંસદ સત્રના LSQ અને RSQ વગેરે સંબંધી કામગીરી.
  • નાગરિક ઉડ્ડયન વિષય સંબંધિત આર.ટી.આઇ. અને કોર્ટ કેસને લગતી તમામ પ્રકારની કામગીરી.

નીતિ અને યોજનાઓ

  • રિજિયોનલ કનેક્ટીવીટી સ્કીમ(આર.સી.એસ.).
  • રાજ્યની અંદર કનેક્ટીવીટી યોજના.

સ શાખા

શાખા વિશે

ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક પ્રવાસન પ્રભાગમાં સ-શાખા કાર્યરત છે. રાજ્યના પ્રવાસનને સંબંધિત કામગીરી અત્રે કરવામાં આવે છે. ખાતાના વડાની કચેરી તરીકે પ્રવાસન કમિશનરશ્રીની કચેરી કાર્યરત છે. વધુમાં, અમલીકરણ સંસ્થા તરીકે ગુજરાત પ્રવાસન નિગમ લિ. છે.

વિષય અને કાર્યો

  • પ્રવાસન અંગેની નીતિ વિષયક કામગીરી
  • પ્રવાસન કમિશનરશ્રીની કચેરી તથા ગુજરાત પ્રવાસન નિગમ લિ. ના મહેકમને લગતી અને અન્ય કામગીરી.
  • નવરાત્રી મહોત્સવ, પતગ મહોત્સવ, રણોત્સવ વગેરે કાર્યક્રમો અંગેની કામગીરી.
  • પ્રવાસન અંગેની મહત્વની યોજનાઓની કામગીરી
  • પ્રવાસનના બજેટ અને આયોજનને લગતી સઘળી કામગીરી તથા ઓડીટ પારા તેમજ ડ્રાફટ પારા અને જાહેર સાહસોની સમિતિ, અંદાજ સમિતિ સહિત અને તેને સબધિત કામગીરી.
  • સંબંધિત વિષયોની એમ.ઓ.યુ. અંગેની કામગીરી.

નીતિ અને યોજનાઓ

  • પ્રવાસન નીતિ 2021-2025.
  • સિનેમેટીક ટુરીઝમ પોલિસી 2022-2027.
  • હેરીટેજ ટુરીઝમ પોલિસી 2020-2025.
  • હોમસ્ટે પોલિસી.
  • જિલ્લાના પ્રવાસન અને યાત્રાધામના વિકાસના કામો માટે કલેક્ટરશ્રીઓને ગ્રાન્ટ ફાળવવા માટે પધ્ધતિ નિયત કરવા બાબત.

ય શાખા

શાખા વિશે

  • રાજ્યના મુખ્ય 8 યાત્રાધામો, સરકાર હસ્તકના દેવસ્થાનો તથા ખાનગી ટ્રસ્ટ હેઠળના મંદિરો/ યાત્રાધામોના સંર્વાગી વિકાસની તમામ કામગીરી.
  • યાત્રાધામ સંબંધિત તમામ નીતિવિષયક બાબતો.
  • ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને સંબંધિત કામગીરી.

વિષય અને કાર્યો

  • આઠ મુખ્ય પવિત્ર યાત્રાધામો - અંબાજી, સોમનાથ, દ્વારકા, ગિરનાર, પાલીતાણા, ડાકોર, શામળાજી અને પાવાગઢનો સર્વગ્રાહી વિકાસની કામગીરી.
  • વિભાગના તારીખ 11/04/2023ના ઠરાવ મુજબ અ, બ તથા ક કક્ષાના મંદિરોના વિકાસની કામગીરી.
  • ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સંબંધિત તમામ નીતિવિષયક બાબતો.
  • ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના મહેકમ વિષયક કામગીરી.
  • સરકારશ્રી હસ્તકના 358 જેટલા દેવસ્થાનોનો વિકાસની કામગીરી.
  • ખાનગી ટ્રસ્ટ સંચાલિત મંદિરોનો વિકાસની કામગીરી.
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ધાર્મિક આસ્થા કેન્દ્રોનો વિકાસની કામગીરી.
  • આઠ મહત્વના યાત્રાધામો ખાતે “ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા” જાળવવાની કામગીરી.
  • યાત્રાધામોમાં ઉજવાતા વિવિધ મેળા-ઉત્સવો દરમ્યાન યાત્રિકો માટે જરૂરી ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા વિવિધ સુવિધાઓ, ઉપરાંત યાત્રાળુઓની સુરક્ષા માટે સી.સી.ટી.વી. કેમેરાની સુવિધા, ટોયલેટ બ્લોકસ, સોલાર સિસ્ટમની સુવિધા અને અન્ય યાત્રાળુલક્ષી કંઇક સુવિધાઓ અંગેની કામગીરી.
  • યાત્રાધામ વિષય સંબંધિત બજેટ તથા ઓડીટ સંબંધિત તમામ કામગીરી.
  • યાત્રાધામ વિષય સંબંધિત ગુજરાત રાજ્ય વિધાનસભા સંબંધી તારાંકીત પ્રશ્નો, અતારાકિંત પ્રશ્નો, કાપ દરખાસોં ની કામગીરી.
  • યાત્રાધામ સંબંધિત માન.મુખ્યમંત્રીશ્રી/માન.મંત્રીશ્રી/માન.સસંદસભ્યશ્રી/માન.ધારાસભ્યશ્રી સંદર્ભ પત્રોની કામગીરી.
  • યાત્રાધામ સંબંધિત ભારત સરાકારના તથા મુખ્ય સચિવશ્રી સંદર્ભિત પત્રોની કામગીરી.
  • યાત્રાધામને સંબંધિત આર.ટી.આઇ. અને કોર્ટ કેસને લગતી તમામ પ્રકારની કામગીરી.

નીતિ અને યોજનાઓ

  • કૈલાસ માનસરોવર
  • શ્રવણ તીર્થદર્શન યોજના
  • સિંધુ દર્શન યોજના
  • શ્રી રામજન્મભુમિ શબરી સ્મૃતિ યાત્રા સહાય યોજના